Posted on 05 Jun, 2014 09:17 AMઅણહિલવાડ પાટણનું પ્રાચીન શહેર જે ચાવડા વંશના પ્રથમ રાજા વનરાજ ચાવડા દ્વારા સ્થાપવામાં આવેલું હતું. એવી દંતકથા છે કે, વનરાજ ચાવડાનો એક બચપણનો મિત્ર હતો જેનું નામ અણહિલ હતું. આ અણહિલ દ્વારા દર્શાવેલી જગ્યાએ વનરાજ ચાવડાએ પાયો સ્થાપ્યો હતો અને બચપણના મિત્ર અણહિલના નામ ઉપરથી શહેરનું નામ અણહિલવાડ રાખેલું હતું. ઇ.સ. ૭૪૬ થી ૧૪૧૧ સુધી એમ કુલ ૬૫૦ વર્ષો સુધી અનાહિલવાડા ગુજરાતની રાજધાની રહી હતી.
Posted on 05 Jun, 2014 09:08 AMઆહવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયના દક્ષિણ ભાગમાં ડુંગરાળ તેમજ ગીચ જંગલો વચ્ચે અત્યંત દર્શનિય લાગતા ડાંગ જિલ્લાનું તેમજ તાલુકાનું મુખ્ય મથક છે. ડાંગ જિલ્લામાં ૧૦૦% આદિવાસીઓ રહે છે. આહવા ખાતે સરકારી કર્મચારીઓની વસતી વધારે છે. ગુજરાત રાજયના એક માત્ર હિલ સ્ટેશન તરીકે જાણીતું ગિરીનગર સાપુતારા ડાંગ જિલ્લામાં સાહ્યિદ્વી પર્વતમાળાઓ વચ્ચે આવેલું છે. સાપુતારાનો વિસ્તાર ૧૭૨૫ ચો.કિ.મી.
Posted on 05 Jun, 2014 08:59 AMગુજરાતનું વડનગર પ્રાચીન નગર છે. ઐતિહાસીક પૂરાવાઓ એમ કહે છે કે, આ સ્થળે ૪,૫૦૦ વર્ષ પૂર્વે પણ માનવ વસાહત હતી. આખા જગતમાં સાડાચાર હજાર વર્ષોથી જીવંત રહેલા નગરો આંગળીના વેઢે ગણી શકાય તેટલા છે. ગુજરાતનું વડનગર તેમાંનું એક નગર છે. ભૂતકાળમાં વડનગર ચમત્કારપૂર, આર્નતપૂર, આનંસપૂર, વૃદ્ઘનગર જેવા નામોથી સમયાંતરે ઓળખાતું હતું. વિદ્યા, કલા, સાહિત્ય.
Posted on 05 Jun, 2014 08:52 AMનળ સરોવર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયના અમદાવાદ જિલ્લામાં આવેલું એક અદ્ભૂત સરોવર છે. આ સરોવર ખાસ ઊંડાઇ ધરાવતું નથી પરંતુ તે ૧૨૦ ચો. કિ.મી. જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ સરોવરમાં અનેક નાના-મોટા ટાપુઓ આવેલા છે. નળ સરોવરની દેખરેખ અને તેના વ્યવસ્થાપનની જવાબદારી ગુજરાત રાજયના વન વિભાગની છે. અમદાવદ શહેરથી નળ સરોવર ૬૨ કિ.મી. દૂર આવેલું છે.
Posted on 05 Jun, 2014 08:42 AMવડોદરા શહેરમાં સુરસાગર તળાવ ઉપરાંત આજવા તળાવ, સેવાસી વાવ અને નવલખી વાવ પણ પાણી સંગ્રહ માટે જાણીતા સ્થળો છે. ઇ.સ. ૧૮૮૨માં વડોદરા શહેરમાં પીવાના પાણીની વ્યવસ્થા સાંકડી નહેર દ્વારા કરવામાં આવેલી હતી. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ જગન્નાથ સદાશીવ નામના એન્જિનિયરને વડોદરા શહેર માટે પીવાના પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવા અંગે કહ્યું હતું. એ સમયે બ્રટીશરો નર્મદા અને મહી નદીનું શોષણ કરતાં હતા.
Posted on 05 Jun, 2014 08:35 AMગુજરાત રાજયમાં વડોદરાની ગણતરી એક મોટા શહેર તરીકે થાય છે. ગુજરાતના મેગા સીટી અમદાવાદ બાદ વડોદરાનું નામ આવે! તળાવ અંગે કોઇ વાત કરે એટલે આપણી સમક્ષ મોટાભાગે કોઇ ગામડાનું ચિત્ર તરવરી ઉઠે, પણ સુરસાગર તળાવનું નામ લઇએ તો તરત જ વડોદરા શહેર મસ્તિકમાં ઉપસી આવે! વડોદરાનું સુરસાગર તળાવ અગાઉના સમયમાં ચંદન તળાવના નામથી જાણીતું હતું.
Posted on 05 Jun, 2014 08:26 AMતળાવ એટલે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેનું પરંપરાગત અને ઉત્તમ સ્થળ. તળાવ બનાવતા સમયે માટી ખોદી તેની પાળ બનાવવામાં આવે અને કયારેક આ પાળને કડિયાકામ કરીને પાકી બનાવવામાં આવે. વરસાદ પડે અને વિવિધ આવકક્ષેત્ર દ્વારા તળાવમાં પાણી ભરાય. એક સમયે તળાવ એ જળસંચયનું મોટું અને હાથવગું ક્ષેત્ર હતું. ગુજરાતના ઇતિહાસમાં સહસ્ત્રલિંગ તળાવનો ઉલ્લેખ જોતાં જણાય છે કે, પૌરાણિક કાળથી તળાવો અસ્તિત્વ ધરાવે છે.
Posted on 03 Jun, 2014 08:02 AMભુજ શહેરમાં આવેલા હમીરસર તળાવની રચના જામનગરના રણમલ(લખોટા) તળાવ ઉપરથી કરવામાં આવેલી છે. પ્રસ્તુત લેખમાં જામનગરના ઇતિહાસની સાથે તળાવની જાણકારી મેળવીએ:
Posted on 14 May, 2014 11:15 AMઉનાળો એટલે ધોમધખતા તાપ અને તરસથી છલકાતી મોસમ. વસુંધરા ઉપર મહાલતો એક પણ સજીવ પાણી વગર રહી શકે નહી. આજે પરિસ્થિતિ એવી છે કે, માનવજાતને પણ પાણી મેળવવા માટે ફાંફા મારવા પડે છે. પાણીને કારણે અનેક જગ્યાએ ઝઘડા પણ થાય છે! ઘણીવાર પ્રશ્ન થાય કે, દુર્ગમ વન વિસ્તાર કે વગડાઓમાં અબોલ પશુ પક્ષીઓ પોતાની પાણીની તરસ કેવી રીતે છીપાવતા હશે?!....પણ આપણે આપણી પાણીની પળોજળમાંથી મુકત થઇએ તો અબોલ પશુ-પક્ષીઓનો વિચાર કરીએ.
Posted on 14 May, 2014 10:11 AM[img_assist|nid=47258|title=LOKTAK LAKE|desc=|link=none|align=left|width=448|height=336]ભારતવર્ષમાં હવામાં તરતાં નહી પણ પાણીમાં તરતાં ટાપુઓ આવેલા છે. પાણીમાં તરતાં આ ટાપુઓનું સરનામું છે ઉત્તર-પૂર્વ ભારતનું મણિપુર રાજય. મણિપુર રાજયમાં 'લોકટક' નામનું સરોવર આવેલું છે. આ સરોવરનું આશરે કુલ ક્ષેત્રફળ ૩૧૨ ચોરસ કિલોમીટર છે.