Posted on 14 Feb, 2014 06:52 AMઅગાઉ જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે ગવર્નન્સ ત્રિ પરિમાણ હોય છે-રાજકીય, આર્થિક અને સામાજિક. રાજકીય ક્ષેત્રે પ્રક્રિયાઓ દ્વારા સત્તા માટે વ્યકિતઓની પસંદગી કરવામાં આવે છે, તેને સર્વસંમતિથી ચૂંટવામાં આવે છે, વખતોવખત તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને જરૂર જણાય તો તેને બદલી પણ કરવામાં આવે છે.
Posted on 14 Feb, 2014 06:43 AMસમાજમાં હક્ક અને ફરજ બન્ને એક સીક્કાની બે બાજુઓ છે. હક્ક મેળવવા માટે ફરજનિષ્ઠ બનવું જરૂરી છે અને ફરજ બજાવવા માટે પોતાના હક્ક અંગેની પૂરતી માહિતી હોવી જરૂરી છે. હક્ક અને ફરજ વચ્ચે સમતુલા જાળવી રાખવી જરૂરી છે. હક્ક હંમેશા ભોગવવાના હોય છે અને ફરજ હંમેશા નીતિથી બજાવવાની હોય છે. કોઇપણ બે વ્યકિત કે સમુદાય વચ્ચે અણબનાવ કે ગુંચવણ ઊભી થઇ હોય ત્યારે એક તરફ હક્ક હોય છે અને બીજી તરફ ફરજ હોય છે.
Posted on 10 Jan, 2014 07:44 AMજે રીતે આ વર્ષની વર્ષા ઋતુમાં વરસાદ વરસ્યો છે તે વાતને ધ્યાનમાં રાખીને એક વાત જરૂર કહી શકાય કે, ગ્લોબમ વોર્મિંગ કે કલાઇમેટ ચેન્જને કારણે ઋતુઓમાં બદલાવ આવવાની શરૂઆત થઇ ચૂકી છે. કચ્છ જેવા અર્ધશુષ્ક પ્રદેશમાં વરસાદની માત્રામાં ધીર-ધીરે વધારો થતો હોય એવો સતત અનુભવ થાય છે. બીજી એક મહત્વની વાત એ છે કે, પૃથ્વી ઉપર પાણીનો એક માત્ર કુદરતી સ્રોત એટલે વરસાદ!
Posted on 10 Jan, 2014 07:35 AMવિશ્વમાં માનવશરીર જેવું ચોક્કસ યંત્ર બીજું એકેય નથી. માનવશરીરની રચના કુદરતે દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને ગણતરીપૂર્વક કરેલી છે. માનવશરીરને ચલાવવા માટે ઉર્જા
Posted on 10 Jan, 2014 07:20 AMવર્ષ ૨૦૧૨ના વિશ્વ જળ દિવસની થીમ વોટર એન્ડ ફૂડ સિકયુરિટી છે. થીમની કેચલાઇનમાં દર્શાવેલું છે કે, વિશ્વ તરસ્યું છે કારણે કે આપણે ભૂખ્યા છીએ. સરસ વાત લખી નાખી છે એક જ લાઇનમાં! આપણી પાણી મેળવવાની ભૂખ હજુ પણ પ્રજવલ્લિત છે. પાણીની ભૂખનો જવાળામુખી હજુ શાંત થયો નથી. આજે સ્થિતિ એવી છે કે, લોકોને પાણી એકદમ હાથવગું જોઇએ છીએ. આવી રીતે પાણી મેળવી લેવાની લાહ્યમાં પૃથ્વીની હાલત ચારણી જેવી થઇ ગઇ છે.
Posted on 10 Jan, 2014 07:18 AMવિશ્વમાં પાણીની સમસ્યા અંગે આપણે વારંવાર સાંભળતા હોઇએ છીએ. ભવિષ્યમાં વિશ્વ પાણીની અછતથી પીડાતું હશે એવું આપણે સમાચારપત્રોમાં વાંચીએ છીએ પણ આવા સમાચારોની ગંભીરતાને આપણે સમજતાં નથી. આ વાત જયારે યુનાઇટેડ નેશન્સ(યુ. એન.) કહી ત્યારે વાતને ગંભીરતાથી લેવાનું વિશ્વના દેશોએ શરૂ કર્યુ છે.
Posted on 10 Jan, 2014 06:55 AMવરસાદને અનુલક્ષીને વાત કરીએ તો હવે કચ્છપ્રદેશમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી સારો વરસાદ પડી રહ્યો છે. સારા વરસાદને કારણે સપાટીય સ્રોતોમાં પણ ઘણું વરસાદી પાણી સંગ્રહ થયેલું છે. સંગ્રહ થયેલા આ વરસાદી પાણીથી ભૂગર્ભજળનું અનુશ્રવણ પણ થઇ રહ્યું છે ત્યારે એક સવાલ ઉદ્ભવે છે કે, સપાટીય સ્રોત દ્વારા અનુશ્રવણ થતાં ભૂગર્ભજળની માલિકી કોની હોઇ શકે?
Posted on 10 Jan, 2014 06:47 AMદૈનિક સમાચારપત્ર 'દિવ્યભાસ્કર'ના તારીખ ૦૧-૦૫-૨૦૧૦ના અંકમાં પ્રસિદ્ઘ લેખક કાંતિભટ્ટ લખે છે કે, 'થોડા વર્ષોમાં જગતમાં પાણી માટે યુદ્ઘો ખેલાશે'...સાવ સાચી વાત છે જે રીતે હાલના સમયમાં પાણીનો બેફામ અને અવ્યવહારું ઉપયોગ થઇ રહ્યો છે તેને કારણે નજીકના ભવિષ્યમાં જ જગત આખામાં પાણીની તંગી પ્રવર્તે એવા સંજોગો ઊભા થવાની શકયતાઓ વધારે છે.