Posted on 27 Sep, 2013 08:45 AMભારતમાં આશરે ૭.૨ લાખ હેકટર વિસ્તારમાં તળાવો આવેલા છે. આ તળાવો છીછરા અને વિસ્તારના દ્રષ્ટિકોણથી એકદમ નાના છે. આ કારણોસર આવા તળાવોમાં ઓછી માત્રામાં વરસાદી પાણી સંગ્રહ થાય છે. આવા તળાવોના આવકક્ષેત્ર તેમજ તળાવના ભૂસ્તરનો અભ્યાસ કરીને તેને ઊંડા બનાવવાની કામગીરી હાથ ધરવી જોઇએ.
Posted on 27 Sep, 2013 08:41 AMગુજરાત રાજયની ભૂર્ગભ અને સપાટીય જળ સંપત્તિ અપૂરતી અને મર્યાદિત હોવાને કારણે સંકલિત આયોજન દ્વારા રાજયના જળસંશાધનોનો વિકાસ કરવો જરૂરી છે. રાજયના કેટલાક ભાગોમાં વધુ પ્રમાણમાં ખેંચાતી ભૂર્ગભજળ સંપત્તિ સામે પાણીનું વૈજ્ઞાનિક વ્યવસ્થાપન અને કાર્યક્ષમ ઉપયોગ માટે કડક પગલાઓ લઇ વિનીમય અને નિયંત્રણ કરવું જરૂરી છે.
Posted on 24 Sep, 2013 08:22 AMજીવસૃષ્ટિ માટે પાણી અનિવાર્ય કુદરતી સ્રોત છે. પાણી વગર જીવન અશકય છે એ હવે સર્વ સામાન્ય વાત છે. પાણી વગર જીવન કઠિન છે. આથી જ કુદરતે વસુંધરા ઉપર અનેક સ્થળે, અનેક રીતે કુદરતી જળસ્રોતોની રચના કરી છે. કુદરતી જળસ્રોતો ગુજરાત રાજયમાં અન્ય રાજયોની સરખામણીમાં ઓછા છે અને કચ્છ જેવા જિલ્લામાં તો નહિવત કહી શકાય એટલા કુદરતી જળસ્રોતો છે.
Posted on 11 Sep, 2013 07:41 PMમાનવજીવનની મૂળભૂત જરૂરિયાતો, પર્યાવરણ અને દેશનો સામાજિક-આર્થિક વિકાસનો આધાર પાણી છે. પાણીનું સુનિયોજીત વ્યવસ્થાપન તેની કેટલીક અનન્ય લાક્ષણિકતાઓને કારણે પડકારરૂપ છે. ઝડપથી થઇ રહેલું શહેરીકરણ, પ્રદૂષણ અને કલાઇમેટ ચેઇન્જ જેવા પરીબળોને કારણે પાણીના સ્રોતો ભયસ્થાનના સ્તર ઉપર આવી ગયા છે. વધી રહેલા વસતિ વધારાને કારણે ઘરેલું વપરાશ, ખાદ્ય ઉત્પાદન અને ઓદ્યોગિક ક્ષેત્રે પાણીનો ઉપયોગ વધી રહ્યો છે.
Posted on 11 Sep, 2013 07:40 PMમાનવજીવનની મૂળભૂત જરૂરિયાતો, પર્યાવરણ અને દેશનો સામાજિક-આર્થિક વિકાસનો આધાર પાણી છે. પાણીનું સુનિયોજીત વ્યવસ્થાપન તેની કેટલીક અનન્ય લાક્ષણિકતાઓને કારણે પડકારરૂપ છે. ઝડપથી થઇ રહેલું શહેરીકરણ, પ્રદૂષણ અને કલાઇમેટ ચેઇન્જ જેવા પરીબળોને કારણે પાણીના સ્રોતો ભયસ્થાનના સ્તર ઉપર આવી ગયા છે. વધી રહેલા વસતિ વધારાને કારણે ઘરેલું વપરાશ, ખાદ્ય ઉત્પાદન અને ઓદ્યોગિક ક્ષેત્રે પાણીનો ઉપયોગ વધી રહ્યો છે.
Posted on 29 Aug, 2013 09:17 AM૨૨, માર્ચ, ૨૦૧૧ વિશ્વ જળ દિવસ નિમિત્તે યુ. એન. વોટર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી 'એડવોકસી ગાઇડ એન્ડ એકશન હેન્ડ બુક'માં નોંધવામાં આવેલી હકીકતો ઉપર એક નજર ફેરવી લેવી જરૂરી છે: વિશ્વના શહેરોમાં વસતિ વધારો ૨ વ્યકિત/સેકન્ડ છે. વિકાસ પામી રહેલા દેશોમાં છેલ્લા દશ વર્ષમાં શહેરોમાં ૯૫% વસતિ વધારો શહેરોમાં થયો છે.
Posted on 22 Aug, 2013 08:01 AMગ્લોબમ વોર્મિંગ કે કલાઇમેટ ચેન્જને કારણે ઋતુઓમાં બદલાવ આવવાની શરૂઆત થઇ ચૂકી છે. કચ્છ જેવા અર્ધશુષ્ક પ્રદેશમાં વરસાદની માત્રામાં ધીરે-ધીરે વધારો થતો હોય એવો સતત અનુભવ થાય છે. બીજી એક મહત્વની વાત એ છે કે, પૃથ્વી ઉપર પાણીનો એક માત્ર કુદરતી સ્રોત એટલે વરસાદ! વરસાદ દ્વારા જ ભૂગર્ભજળની માત્રામાં વધારો થાય છે તેમજ સપાટીય સ્રોતોમાં જળરાશિ સંગ્રહ થાય છે.
Posted on 22 Aug, 2013 07:44 AMવિશ્વમાં વધતી જતી વસતી અને વિકાસને કારણે ભૂગર્ભજળની સાથે સપાટી ઉપરના પાણીની સ્થિતિ પણ હવે ચિંતાજનક બની રહી છે. વિશ્વના દેશોની સાથે ભારત દેશ પણ આ ચિંતાજનક પરિસ્થિતિમાંથી બાકાત નથી. કુદરતી પાણીના સ્રોતોની સાથે સપાટીય સ્રોતોના પાણીની ગુણવત્તા બાબતે પણ સ્થિતિ ચિંતાજનક છે. આ માટે પાણીની પરિસ્થિતિ અને તેની ગુણવત્તા જાળવી રાખવાની તાતી જરૂરિયાત છે.
Posted on 21 Aug, 2013 09:21 PMવસુંધરા ઉપર જીવનની શરૂઆત થઇ એ પહેલા જીવન માટે જરૂરી એવા પાણીની ઉત્પત્તિ થઇ હતી. વસુંધરાનો નક્કર આકાર થયા બાદ કાળક્રમે તેના ઉપર વરસાદ સ્વરૂપે પાણી વરસવાનું શરૂ થયું હતું. વસુંધરાની સપાટી ઉપર આ પાણી વહેવાનું શરૂ થયું અને જે સ્થળે આ પાણીના વહેણમાં આડાશ આવી ત્યાં એ પાણી સંગ્રહ થયું. આમ, કુદરતી રીતે વસુંધરા ઉપર જળાશયો આકાર લેવા માંડયાં. આ જળાશયો સમય જતાં તળાવ તરીકે ઓળખાવા લાગ્યા.
Posted on 21 Aug, 2013 08:40 PMવસુંધરા ઉપર કોઇ એક ક્ષણે જીવનની શરૂઆત પાણી થકી થઇ હતી અને આજે પાણી જીવન માટે સમસ્યા બની ચુકી છે. છેલ્લા કેટલાક વર્ષોથી પાણીની સમસ્યાએ વૈશ્વિક સ્વરૂપ ધારણ કરેલું છે. કોઇ સદગૃસ્થએ કહેલું છે કે, વિશ્વમાં પાણી માટે રીતસર યુદ્ઘ થશે. આ વિદ્યાન ખોટું પડે એ માટે પાણીની સમસ્યાને સમજીને તેનું નિરાકરણ કરવું ખૂબ જ જરૂરી છે.