વિનીત કુંભારાણા

વિનીત કુંભારાણા
કચ્છપ્રદેશમાં પાણીની યાત્રા-૨
Posted on 19 Aug, 2013 08:49 AM
આપણે કચ્છપ્રદેશમાં પાણીની યાત્રા સંદર્ભમાં કચ્છની ભૂસ્તરીય રચના વિષયક માહિતી મેળવી હતી. ભૂસ્તરીય રચનામાં આવતાં ખડકો અને તેની લાક્ષણિકતાને ભૂગર્ભજળ સાથે સીધો સંબંધ છે કારણ કે, જે પ્રમાણે ખડકોની લાક્ષણિકતા બદલાય તે પ્રમાણે પાણીની ગુણવત્તા પણ બદલાય છે. કચ્છ વિસ્તાર પહેલા કયાં નામોથી ઓળખાતો હતો એ આપણે જા•યું હવે આ વિસ્તારોમાં પાણી અને તેની સાથે રહેલી જીવનશૈલીની માહિતી પાણીના સંદર્ભમાં જોઇએ.
કચ્છપ્રદેશમાં પાણીની યાત્રા-૧
Posted on 19 Aug, 2013 08:45 AM
આશરે ૬૦ કરોડ વર્ષ પહેલા પૃથ્વીની ઉત્પતિ થઇ છે એવો અંદાજ બાંધવામાં આવેલો છે. કચ્છનું ભૂસ્તર બનવાની શરૂઆત ૧૮ કરોડ વર્ષ પહેલા થઇ હતી. આ સમયે ઉપરની તરફ દરિયો અને તેની નીચે જમીન જેવી પરિસ્થિતિ હતી.
ઔદ્યોગીકરણના વાયરામાં કચ્છના જળ અને જમીન સાચવવા જરૂરી છે...!!! (૨)
Posted on 15 Aug, 2013 08:12 PM
એક સામાન્ય ખેડૂત જયારે ખેતી કરે છે ત્યારે તેને હંમેશા એવી આશા હોય છે કે, ઉત્પાદન સારૂં થશે. ખેત ઉત્પાદન સારામાં સારું થાય એ માટે ખેડૂત કર્જો કરતાં પણ અચકાતો નથી અને પોતાની પૂરી તાકાત લગાડીને સીઝન પહેલા પોતાનાથી બની શકે એટલું કરી છુટે છે. ઘણું બધું કરવા છતાં પણ છેલ્લે જયારે ઉપજ સંતોષકારક ન થાય ત્યારે ખેડૂતને ઘોર નિરાશા સાંપડે છે. આવું જ કંઇક હાલમાં લખપત તાલુકાના પાનધ્રો નજીક બની રહ્યું છે.
ઔદ્યોગીકરણના વાયરામાં કચ્છના જળ અને જમીન સાચવવા જરૂરી છે...!!! (૧)
Posted on 15 Aug, 2013 07:54 PM
લોકમુખે સાંભળેલી વાત છે કે, કચ્છમાં ઉદ્યોગોની શરૂઆત ભારમલજીના વખતમાં થઇ હતી. એ સમયે રામશી માલમ નામક એક વ્યકિતવિશેષ હતા જેમણે કચ્છમાં કેવા ઉદ્યોગોનો વિકાસ થઇ શકે તેનો અભ્યાસ કરેલો હતો. આ અભ્યાસના આધારે કચ્છમાં શરૂઆતમાં માચીસની દિવાસળી, કાચ, મીનાકરી જેવા ઉદ્યોગોનો વિકાસ થયો હતો. રામશી માલમે અભ્યાસ કરતી વખતે એક વાતનો ખાસ ખ્યાલ રાખ્યો હતો કે, કયા ઉદ્યોગોમાં પાણીની જરૂરિયાત એકદમ ઓછી છે.
રેગિસ્તાનનો રાજા : થોર વરસાદી પાણીનું જળસંચય કરતી કુદરતની વિરલ વનસ્પતિ...!
Posted on 13 Aug, 2013 08:35 PM
આપણી વસુંધરા ઉપર અનેક અચરજો ધરબાયેલા પડેલા છે જેને સમજવા આજની તારીખે પણ અઘરા છે. વસુંધરા ઉપર ફેલાયેલો રેગિસ્તાન અને તેમાં થતો થોર આવું જ એક અચરજ છે. વસુંધરા ઉપર ફેલાયેલા રેગિસ્તાનની સંખ્યા ગણીએ તો કુલ ૧૦ મોટા રેગિસ્તાન આવેલા છે. સૌથી મોટું રેગિસ્તાન ઉત્તર આફ્રિકામાં આવેલું સહારાનું રેગિસ્તાન છે.
બોટલ્ડ વોટર....શુદ્ઘ કે અશુદ્ઘ...!?
Posted on 06 Aug, 2013 08:31 AM

માનવ શરીરના જળ તત્વની વાત કરીએ તો પૃથ્વી ઉપર જેમ ૭૦ ટકા પાણી અને ૩૦ ટકા જમીન છે એ પ્રમાણે માનવ શરીરમાં પણ ૭૦ ટકા જળ તત્વ રહેલું છે જે લોહી, પાણી, કોષરસ સ્વરૂપે છે. પ્રત્યેક માનવ દેહના અવયવોમાં કોષો તેના કેન્દ્રમાં રહેલા ઇલેકટ્રોન અને પ્રોટ્રોનની સતત ગતિશીલતાને કારણે એક ચોક્કસ આંદોલન ગતિ ધરાવે છે. કોષોની આ આંદોલન ગતિને કારણે કોષરસનું ધ્રુવિભવન થાય છે. આમ થવાથી કોષરસનું ઉષ્ણતામાન વધે છે.

કુદરત દરેકની જરૂરિયાતને સંતોષી શકે છે, લાલચને નહી...!
Posted on 05 Aug, 2013 08:34 AM

આપણી આ સુંદર વસુંધરા ઉપર હવા, પાણી, જમીન, ગરમી અને અવકાશ એમ કુલ પાંચ મુખ્ય તત્વો છે જેને શાસ્ત્રોમાં પંચમહાભૂતો કહેવાયા છે. સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ, પશુ-પંખીઓ, વિવિધ સ્વરૂપે ખનિજો અને પંચ આવરણનું એક સ્વરૂપ એટલે પર્યાવરણ. વસુંધરાના જેટલા વિસ્તારોમાં સજીવો વસવાટ કરી રહ્યા છે એ જૈવમંડળમાં આશરે ૩,૫૦,૦૦૦ જાતિઓ અને ૧૦,૭૫,૮૪૦ પ્રાણીઓની જાતિઓ વસે છે. પર્યાવરણ એટલે માનવની આસપાસની સજીવ-નીર્જિવ સૃષ્ટિ!

કચ્છપ્રદેશ એટલે 'લેન્ડ ઓફ લેઇક\"
Posted on 03 Aug, 2013 12:39 PM

ભારતવર્ષમાં ગુજરાતમાં કચ્છપ્રદેશ પૃથ્વીના ગોળા ઉપર એવું સ્થાન ધરાવે છે કે, ભૌગોલિક પરિબળોને કારણે કચ્છપ્રદેશમાં રણવિસ્તાર આવે છે અને વરસાદ નિયમિત રીતે અનિયમિત અને ઓછી માત્રામાં પડે છે. વરસાદ ઓછો હોવાથી ભૂગર્ભજળ પણ ઓછું છે. આ ઉપરાંત કચ્છમાં ભૂસ્તરની વિવિધતાને કારણે ભૂગર્ભજળની ગુણવત્તા પણ પ્રમાણમાં નબળી છે.

પાણી બાબતે સ્વાલંબન મેળવવા માટે બાળકોને માતા-પિતાની ભૂમિકામાં લાવવા જરૂરી છે...!!!
Posted on 31 Jul, 2013 08:58 PM
એક દિવસનું આયોજન કરવું હોય તો ધનની બચત કરવી, મહિનાનું આયોજન કરવું હોય તો ધાનનો સંગ્રહ કરવો જોઇએ, વર્ષનું આયોજન કરવું હોય તો વૃક્ષારોપણ કરવું જોઇએ અને સદીઓનું આયોજન કરવું હોય તો પાણીનું આયોજન કરવું જોઇએ.' શિવનગર પ્રાથમીક શાળા નંબર ૨૪માં આજે જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ દ્વારા આયોજિત 'જલ પેડી' કાર્યક્રમ અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહની કામગીરી સમજવા આવેલા વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ સામે ઉપરોકત વાતની રજ
Roof Rain water Harvesting
શહેરના તળાવો અને આપણી લોકભાગીદારી...!!! (૩)
Posted on 31 Jul, 2013 04:06 PM
હમીરસર તળાવ પાણીથી ભરેલું રહે એ માટે તેની આસપાસના વિસ્તારોમાં કુવા/બોરવેલ દ્વારા થઇ રહેલું પાણીનું શોષણ અટકાવવું જોઇએ. ભુજ શહેરની હાલની પાણીની જરૂરિયાત ૩૬ મિલીયન લિટર પ્રતિ દિવસ છે. હમીરસર તળાવની ક્ષમતા ૩૬ લાખ ઘનમીટર છે. હવે સામાન્ય રીતે ૫૦% પાણી બાષ્પિભવન કે અન્યત્ર રીતે ઉડી જતું હોય તો પણ હમીરસર તળાવ દ્વારા ૧૮ લાખ ઘનમીટર પાણી મળી રહે.
Hamirsar Lake, Bhuj
×