Posted on 12 Dec, 2014 06:30 AMપૃથ્વી પર જીવનનો ઉદ્ભવ જળમાંથી થયો, હકીકતમાં જળ એ જીવનની પહેલી શરત છે, આપણા દેશ માટે ઘણું જ મહત્વપૂર્ણ અને સંકટગ્રસ્ત સંસાધન છે. વરસાદની મોસમી પ્રક્રિયાએ જળ સંકટને વધારે ઘેરું બનાવ્યું છે. પાણીના ઉપયોગની યાદી ઘણી લાંબી છે, પાણીની પ્રાપ્તિનો મૂળ સ્ત્રોત પૃથ્વી પર વૃષ્ટિ છે. ચાલુ સાલે કુદરતે મહેર કરી વરસાદ રૂપી કાચુ સોનું વર્ષે છે, પરંતુ આપ જાણો છો તેમ દર વર્ષે એક સરખો વરસાદ થતો નથી.
Posted on 09 Dec, 2014 08:03 AMમાનવીનો જન્મ પંચતત્વો માંથી થાય છે અને મૃત્યુબાદ માનવ શરીર પંચ મહાભૂતોમાં વિલિન થઈ જાય છે. આ પાંચ તત્વોમાં જળ, વાયુ, અગ્નિ, આકાશ અને જમીનનો સમાવેશ થાય છે. આ પાંચ તત્વો મળીને પર્યાવરણ બને છે. જેને જલાવરણ, વાતાવરણ અને મૃદાવરણ એમ ત્રણ મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે. માવવીએ જયારે સર્વપ્રથમ આ સૃષ્ટિ પર અવતાર ધારણ કર્યો ત્યારે કુદરતનું પર્યાવરણીય માળખું સંતુલિત હતું.
Posted on 29 Nov, 2014 08:22 AMપંચમહાભૂતોનું એક તત્ત્વ છે. જળ ! જળ વિના જીવન ન સંભવી શકે. પૃથ્વી સપાટી પરના જીવોમાં સૌથી વધુ જળનો ઉપયોગ માનવજાત કરે છે. જેમાં વિવિધ કુદરતી સંપત્તિ-વનસ્પતિ, જમીનો, ખનિજોનો ઉપયોગ થતો આવ્યો છે. વિશ્વમાં વધતી જતી માનવ વસ્તી સાથે પાણીનો ઉપયોગ પણ વધ્યો છે. વળી, પાણીનો ઉપયોગ બેફામ થાય છે. પરિણામે શુદ્ધ પીવાલાયક મીઠા જળનો જથ્થો ઝડપથી ઘટવા લાગ્યો છે.
Posted on 29 Nov, 2014 07:58 AMઉનાળાની અગનજાળ ગરમી પછી વરસાદ થતાં ધરતી શીતલ અને લીલીછમ થઈ જાય છે. આ કુદરતી ચક્ર ચાલ્યા જ કરે છે. આપણને લાગે છે કે પાણીએ બધું જ બદલી નાખ્યું? જમીન જાનવર અને જન બધાં જ પર પાણીની જીવંત અસર થાય છે. કારણ કે જળ એ જ જીવનનો આધાર છે. પાણી એ પૃથ્વી પરના જાદૂ સમાન વસ્તુ છે. અગ્નિ અને પાણી જીવન આપનાર ટકાવનાર બધું જ આપનારાં છે. પાણી એક માતાની ગરજ સારે છે. તેનામાં જીવન આપવાનો અને રૂઝવવાનો ગુણ છે.
Posted on 29 Nov, 2014 07:37 AMમહાન વૈજ્ઞાનિક અને આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે અગાઉ એક ગર્ભિત ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે, “વિશ્વમાં આગામી યુદ્ધો પાણી માટે લડાશે” આવનારા ૨૫ વર્ષોમાં ૩૫ થી વધુ દેશોમાં પાણીની ગંભીર કટોકટી સર્જાશે. આ દેશોમાં ભારત પણ સામેલ છે. આડેધડ જંગલો કપાઈ રહ્યા છે. પરિણામે દેશમાં વરસાદનું પ્રમાણ અનિયમિત થયું છે.
Posted on 04 Sep, 2014 08:37 AMકોષા ગામ એ અબડાસા તાલુકામાં દરિયાકાંઠા પાસે વસેલંુ ગામ છે છતાંપણ આ ગામમાં આજે પણ પીવાના પાણીની કોઇ મુશ્કેલી નથી! આ પરિસ્થિતિ માટે કોષા ગામમાં આવેલું તળાવ જવાબદાર છે. આ તળાવ કોષા ગામના વડિલો દ્વારા બનાવવામાં આવેલું છે. ભૂસ્તરની દ્રષ્ટિએ આ તળાવ રીસન્ટ સમયના કાંપ ઉપર બનાવવામાં આવેલું છે. આ કાંપની નીચે દરિયાની ખારાશવાળા ખડક મળી આવે છે. પીવાના પાણીના આ તળાવમાં દોઢ વર્ષ સુધી પાણી મળી રહે છે.