Posted on 19 Jan, 2015 06:45 AMગુજરાતની વાવો કેવળ જળસંગ્રહ અને લોકમિલાપનું સ્થળ નથી. બલકે મોટુંઆધ્યાત્મિક મહત્ત્વ પણ ધરાવે છે. મૂળભૂતરીતે તેનું સ્વરૂપ સાવ સીધં-સાદું હતું, પરંતુ વર્ષો જતાં જટીલ થયું હતું. કદાચ પાણીની પવિત્રતાના આ પ્રાચીન વિચારને પાષાણ દેવોના સ્વરૂપે કોતરીને વધુ મહત્ત્વ આપવાનો હેતુ હતો.
ડેન્માર્કમાં કોનપહેગનમાં ૭ થી ૧૮ ડિસેમ્બર-૨૦૦૯ સુધી યુનાઈટેડ નેશન્સ કોનફરન્સ ઓન ક્લાયમેન્ટ ચેન્જ (યુ.એન.સી.સી.સી.)નું પંદરમું સંમેલન સમાપ્ત થયું. જલવાયુ પરિવર્તન પર થયેલ સંધિના સમાધાનની મુદત ઈ.સ. ૨૦૧૨માં સમાપ્ત થવાની હતી. એના બદલે એક નવા સમાધાનને અંતિમ રૂપ દેવા સંમેલનના અંતમાં કોઈ સમાધાન થયું નહિ.
અવાજ અથવા ઘોંઘાટ એ હવા દ્વારા ફેલાય છે કે પ્રસરે છે. અવાજના પ્રમાણને ડેસીબલમાં માપવમાં આવે છે. નિષ્ણાંત લોકોના મંતવ્ય અનુસાર ૯૦ ડેસીબલ્સથી વધુના સતત અવાજથી સાંભળવામાં શક્તિ કાયમી ધોરણે ગુમાવવી પડે છે અથવા આપણી નર્વ સીસ્ટમને ઘાતક નુકસાન થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠન ડબલ્યુ.એચ.ઓ. દ્વારા શહેરોમાં સુરક્ષિત અવાજનું ધોરણ ૪૫ ડેસીબલ્સ નક્કી કરવામાં આવ્યું છે.
ગ્લોબલ વોર્મિંગના કારણે વિશ્વ સમક્ષ આવી પડનાર અનેક પડકારોમાં વધારો થશે. વિશ્વમાં બદથી બદતર પરિસ્થિતિનું નિર્માણ થશે. સમગ્ર માનવજાત અને પ્રાણીસૃષ્ટિના અસ્તિત્વ પર સંકટના વાદળો મંડાશે. માનવીએ જ ધરતીની અર્થીની સામગ્રી તૈયાર કરી છે. માનવીના હાથમાં જ આ સમસ્યાનો ઉકેલ મેળવવાની ચાવી પણ છે, હવે તે આવતીકાલે પ્રગતિ જોવા માગે છે કે પ્રલય તે વિચારવાનું રહ્યું.
બૃહત શિલ્પશાસ્ત્ર મુજબ પાણી માત્ર જ જીવસંસ્કૃતિના ઉદ્ભવ અને અસ્તિત્વ માટે જરૂરી હોતાં માનવીએ નદી, કૂવા, કૂઈ, વાવ, કુંડ, તળાવ જેવાં જળસંચયના સાધનો વિકસાવ્યા અને તેનો નાતો તેની જોડે રહ્યો. વાનરના પૂર્વજ આદિમાનવો દ્વારા વહેતી નદીના જળનો ઉપયોગ જ કરવામાં આવતો હતો.
જળ-સંસાધનના મુખ્ય સ્ત્રોત સમા વરસાદના પાણીનો વરસાદની ઋતુ દરમ્યાન વધારાના પ્રવાહનો સંગ્રહ કરવો એ જ શ્રેષ્ઠ ઉપાય છે. આના માટે, નદીઓ ઉપર નાના નાના ચેકડેમો, ખેત-તલાવડીઓ, ભૂગર્ભ-જળસંગ્રહ યોજના દ્વારા આખા વર્ષ દરમ્યાન વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય તેમ છે.
મહિલાઓના બનેલા વપરાશકાર જૂથની રચનાને ઉત્તેજન આપીને સ્ત્રીઓને પાણી બચાવવા અને તેને સદુપયોગ કરવા ઉત્તેજન આપવું જોઈએ જેમ કે વપરાયેલા પાણીના ઉપયોગ દ્વારા ઘર આંગણામાં શાકભાજીના અને ફૂલોનો બગીચો માનવી પાણીથી થતા પ્રદૂષણને અટકાવી શકાય છે. તો બીજી બાજુ આર્થિક રીતે કુટુંબમાં મદદરૂપ બની શકાય છે તે જ ઘરના શુદ્ધ શાકભાજી પ્રાપ્ત થઈ શકે છે.
Posted on 20 Dec, 2014 07:12 AMઉનાળાના તાપ તેની અંતિમ સ્ત્થીતીએ પહોચતા ભારતના ઘણા વિસ્તારોમાં રાબેતા મુજબ પાણીની બુમરાણ શરુ થઇ ધીમે ધીમે તીવ્ર રૂપ ધારણ કરે છે. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, બિહાર જેવા રાજ્યોમાં પાણી ની તંગી તેની હદ વટાવી ચુકી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, જુનાગઢ, અમરેલી જેવા જીલ્લામાં તો ઉનાળો છેલ્લા 20-25 દિવસ પસાર કરવો આકરો પડે છે.
Posted on 14 Dec, 2014 07:38 AMઆપત્તિ (હોનારત) એટલે કોઈક એવી ઘટના કે જે ખૂબ પીડા કે દુઃક દેનારી, લોકોના જોખમ કરનારી અને મોટાભાગના લોકોને ઈજા કરનારી, ઉપરાંત તેમને ધન-દોલત અને માલમિલકતથી પણ ખુવાર કરનારી હોય છે. આપત્તિ એવી પરિસ્થિતિ છે કે જે ચેતવણી આપ્યા વગર કે ખૂબ ટૂંકાગાળાની ચેતવણી આપીને એકદમ ત્રાટકે છે. જાનમાલની ખુવારી સર્જી જાય છે. અને જે સમાજ જીવનને છિન્નભિન્ન કરી નાખે છે.