અવાજ અથવા ઘોંઘાટ એ હવા દ્વારા ફેલાય છે કે પ્રસરે છે. અવાજના પ્રમાણને ડેસીબલમાં માપવમાં આવે છે. નિષ્ણાંત લોકોના મંતવ્ય અનુસાર ૯૦ ડેસીબલ્સથી વધુના સતત અવાજથી સાંભળવામાં શક્તિ કાયમી ધોરણે ગુમાવવી પડે છે અથવા આપણી નર્વ સીસ્ટમને ઘાતક નુકસાન થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠન ડબલ્યુ.એચ.ઓ. દ્વારા શહેરોમાં સુરક્ષિત અવાજનું ધોરણ ૪૫ ડેસીબલ્સ નક્કી કરવામાં આવ્યું છે.