Need to nudge state governments to evolve a detailed roadmap (planning, implementation and operations related strategies)—immediate, medium and long-term—for ensuring drinking water security.
A summary of case presentations from a national symposium organised by IIM Bangalore, appointed by the center as the JJM Chair for O&M in collaboration with Arghyam and eGovernments Foundation.
Posted on 19 Jan, 2015 06:45 AMગુજરાતની વાવો કેવળ જળસંગ્રહ અને લોકમિલાપનું સ્થળ નથી. બલકે મોટુંઆધ્યાત્મિક મહત્ત્વ પણ ધરાવે છે. મૂળભૂતરીતે તેનું સ્વરૂપ સાવ સીધં-સાદું હતું, પરંતુ વર્ષો જતાં જટીલ થયું હતું. કદાચ પાણીની પવિત્રતાના આ પ્રાચીન વિચારને પાષાણ દેવોના સ્વરૂપે કોતરીને વધુ મહત્ત્વ આપવાનો હેતુ હતો.
બૃહત શિલ્પશાસ્ત્ર મુજબ પાણી માત્ર જ જીવસંસ્કૃતિના ઉદ્ભવ અને અસ્તિત્વ માટે જરૂરી હોતાં માનવીએ નદી, કૂવા, કૂઈ, વાવ, કુંડ, તળાવ જેવાં જળસંચયના સાધનો વિકસાવ્યા અને તેનો નાતો તેની જોડે રહ્યો. વાનરના પૂર્વજ આદિમાનવો દ્વારા વહેતી નદીના જળનો ઉપયોગ જ કરવામાં આવતો હતો.
જળ-સંસાધનના મુખ્ય સ્ત્રોત સમા વરસાદના પાણીનો વરસાદની ઋતુ દરમ્યાન વધારાના પ્રવાહનો સંગ્રહ કરવો એ જ શ્રેષ્ઠ ઉપાય છે. આના માટે, નદીઓ ઉપર નાના નાના ચેકડેમો, ખેત-તલાવડીઓ, ભૂગર્ભ-જળસંગ્રહ યોજના દ્વારા આખા વર્ષ દરમ્યાન વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય તેમ છે.
મહિલાઓના બનેલા વપરાશકાર જૂથની રચનાને ઉત્તેજન આપીને સ્ત્રીઓને પાણી બચાવવા અને તેને સદુપયોગ કરવા ઉત્તેજન આપવું જોઈએ જેમ કે વપરાયેલા પાણીના ઉપયોગ દ્વારા ઘર આંગણામાં શાકભાજીના અને ફૂલોનો બગીચો માનવી પાણીથી થતા પ્રદૂષણને અટકાવી શકાય છે. તો બીજી બાજુ આર્થિક રીતે કુટુંબમાં મદદરૂપ બની શકાય છે તે જ ઘરના શુદ્ધ શાકભાજી પ્રાપ્ત થઈ શકે છે.
Posted on 20 Dec, 2014 07:12 AMઉનાળાના તાપ તેની અંતિમ સ્ત્થીતીએ પહોચતા ભારતના ઘણા વિસ્તારોમાં રાબેતા મુજબ પાણીની બુમરાણ શરુ થઇ ધીમે ધીમે તીવ્ર રૂપ ધારણ કરે છે. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, બિહાર જેવા રાજ્યોમાં પાણી ની તંગી તેની હદ વટાવી ચુકી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, જુનાગઢ, અમરેલી જેવા જીલ્લામાં તો ઉનાળો છેલ્લા 20-25 દિવસ પસાર કરવો આકરો પડે છે.
Posted on 09 Dec, 2014 08:03 AMમાનવીનો જન્મ પંચતત્વો માંથી થાય છે અને મૃત્યુબાદ માનવ શરીર પંચ મહાભૂતોમાં વિલિન થઈ જાય છે. આ પાંચ તત્વોમાં જળ, વાયુ, અગ્નિ, આકાશ અને જમીનનો સમાવેશ થાય છે. આ પાંચ તત્વો મળીને પર્યાવરણ બને છે. જેને જલાવરણ, વાતાવરણ અને મૃદાવરણ એમ ત્રણ મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે. માવવીએ જયારે સર્વપ્રથમ આ સૃષ્ટિ પર અવતાર ધારણ કર્યો ત્યારે કુદરતનું પર્યાવરણીય માળખું સંતુલિત હતું.
Posted on 29 Nov, 2014 08:22 AMપંચમહાભૂતોનું એક તત્ત્વ છે. જળ ! જળ વિના જીવન ન સંભવી શકે. પૃથ્વી સપાટી પરના જીવોમાં સૌથી વધુ જળનો ઉપયોગ માનવજાત કરે છે. જેમાં વિવિધ કુદરતી સંપત્તિ-વનસ્પતિ, જમીનો, ખનિજોનો ઉપયોગ થતો આવ્યો છે. વિશ્વમાં વધતી જતી માનવ વસ્તી સાથે પાણીનો ઉપયોગ પણ વધ્યો છે. વળી, પાણીનો ઉપયોગ બેફામ થાય છે. પરિણામે શુદ્ધ પીવાલાયક મીઠા જળનો જથ્થો ઝડપથી ઘટવા લાગ્યો છે.
Posted on 29 Nov, 2014 07:37 AMમહાન વૈજ્ઞાનિક અને આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે અગાઉ એક ગર્ભિત ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે, “વિશ્વમાં આગામી યુદ્ધો પાણી માટે લડાશે” આવનારા ૨૫ વર્ષોમાં ૩૫ થી વધુ દેશોમાં પાણીની ગંભીર કટોકટી સર્જાશે. આ દેશોમાં ભારત પણ સામેલ છે. આડેધડ જંગલો કપાઈ રહ્યા છે. પરિણામે દેશમાં વરસાદનું પ્રમાણ અનિયમિત થયું છે.