પ્રદુષણની પર્યાવરણ પર અસરો એ આ સદીની સૌથી વધુ માનવીય ત્રાસવાદી પ્રવૃતિ છે. માનવીએ ભૌતિકતા પ્રાપ્ત કરવા પ્રકૃતિને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રકૃતિની વિકરાળ પ્રકોપનો સાનો કરવા માનવીએ તૈયાર રહેવું પડશે. ખાસ કરીને દરિયાકિનારાના પર્યાવરણને તંદુરસ્ત બનાવવાનો સમય હવે પાકી ગયો છે. ગાંધીજીએ યોગ્ય જ કહ્યું છે કે પૃથ્વી પાસે દરેકની જરૂરિયાત સંતોષવા પૂરતું છે. દરેકની લાલચ સંતોષવા માટે નહિ.